#Health Topic Gujarati 19 /102 /1 # રેસા (ફાઈબર ) યુક્ત આહાર કેટલો જરૂરી ?



રેસા (ફાઈબર ) યુક્ત આહાર કેટલો જરૂરી ?

 છેલ્લા  ઘણા વર્ષોથી રેસાયુક્ત આહાર આપણા  રોજિંદા  ખોરાક માં અનિવાર્ય બનતો જાય છે , આ પ્રકાર નો ખોરાક  આપણ  ને સ્વસ્થ  રાખવામાં કઈ રીતે ઉપયોગી છે એ આજે આપણે જાણીયે

  • રેસાયુક્ત આહાર લેવાના ફાયદા 
  1. કબજિયાત માં  રાહત  આપે  છે :આજકાલ ખાન પાન  જેવા કે જંકફૂડ ,મેંદાવાળી વાનગીઓ  તથા તીખા  તમતમતા ખોરાક ને કારણે કબજિયાત ની સમસ્યા વધી ગઈ છે ,રેસાયુક્ત આહાર કુદરતી રીતે  તેમાં રાહત આપે છે 
  2. શરીર માં  bad cholesterol  (એલ.ડી. ઍલ  ) ને  ઘટાડે છે અને Good cholesterol (એચ ડી એલ )    ને વધારે છે જે ને કારણે હૃદય રોગ નો હુમલો તથા  લકવો થવાની શક્યતાઓ ઘટી જાય છે 
  3. રેસાયુક્ત આહાર બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે 
  4. આપણા માટે ખુબજ જરૂરી અને અગત્ય નો ફાયદો એ છે કે ,રેસાયુક્ત આહાર  વધુ પડતા વજન ને નિયંત્રણ માં રાખે છે , સોલ્યૂબલ ફાઇબર એ એક પ્રકારનો netural appatitie suppresent છે જે આહાર માં લેવાથી થોડુંક ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે
  • રેસાયુક્ત આહાર કયો છે ? 
  1. છડેલા ઘઉં , બાજરી, તથા છડેલી દાળો 
  2. રાજમા તથા મસૂરની દાળ 
  3. સફરજન,રાસ્પબેરી ,કેળા,તથા ગાજર 
  4. ફ્લેક્સસીડ ,પોપકોર્ન,તથા બદામ 
  5. ઇસબગુલ (જેમાં 70% સોલ્યૂબલ ફાઇબર છે) માટે ખુબજ ઉપયોગી છે 
ઉપર જણાવેલ  આહાર આપણે જાણે અજાણે લઈએ જ છીએ,  પરંતુ  નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે આપણા રોજિંદા આહાર  માં  લગભગ  25 ગ્રામ  જેટલો  રેસાયુક્ત આહાર હોવો  જોઈએ , (ડાયટિશ્યન ની સલાહ મુજબ ) તો હવે થી સભાન રહી ને રેસાયુક્ત હાર લઈશુ તો તે આપણ ને સ્વસ્થ રહેવામાં જરૂર થી મદદરૂપ થશે 

-નિલેશ સોની 
શેલ્બી હોસ્પિટલ્સ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?