પોસ્ટ્સ

માર્ચ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

#Health Topic Gujarati March/18/04/# આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર)

આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર) આઈ સી યુ માં દાખલ કરાયેલ માનસિક સ્વસ્થતા ધરાવતા કેટલાક દર્દી ઓ માં વાણી , વર્તન,તથા વ્યવહાર માં અજુગતો અને દર્દી ના સ્વભાવ વિરુદ્ધ નો ફેરફાર જોવા મળે છે તેને આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર) કહેવામાં આવે છે.આઈ સી યુ ના દર્દી ની આ પરિસ્થિતિ જેટલી સામાન્ય છે તેટલીજ આપણા થી અજાણી છે આજે આપણે એના વિષે માહિતી મેળવીશું આ વિષે ફોરમ ત્રિવેદી -પાઠક (કન્સલ્ટન્ટ નેયુરોસાયકોલોજિસ્ટ ,શેલ્બી હોસ્પિટલ ) સાથે ચર્ચા કરતા નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ) એ નીચે મુજબ ની માહિતી મેળવી છે જે ખુબજ ઉપયોગી છે આઈ સી યુ સાયકોસીસ ના લક્ષણો કયા ?  વિવિધ અવાજો સંભાય છે -જે અવાજો સાચેજ હોતા નથી પણ દર્દી ને ભ્રમ થાય છે  વિવિધ દ્રશ્યો દેખાય છે જે સાચેજ હોતા નથી પણ હોવાનો ભાસ થાય છે  સ્થળ અને સમય નું ભાન હોતું નથી  દર્દી માં અજંપો,ઉશ્કેરાટ અને આક્રમકતા જોવા મળે છે અને તેને કારણે દર્દી ,એના શરીર પર લગાવેલી ટોટીઓ ખેંચી નાખે છે,ઓઢાડેલાં બ્લૅન્કેટ કાઢી નાખે છે કે હાથ પગ હલાવ્યા કરે છે  ક્યારેક નિષ્ક્રિય થઇ ને કા...

#Health Topic Gujarati March/18/03/# યુવાની માં હૃદય રોગ અને હૃદય રોગ નો હુમલો

યુવાની માં હૃદય રોગ  અને હૃદય રોગ નો  હુમલો ચિંતન ઉ,27 વર્ષ ,બપોરે બે વાગે ઓફિસ માં જમ્યા પછી કલીગ ને ગેસ,ઉલ્ટી થાય છે, છાતી  માં ભાર લાગે    છે એવી ફરિયાદ કરી , કલીગે સોડા પીવડાવી  પણ ચેન પડ્યું નહિ અને અડધા કલાક માં ચક્કર ખાઈ ને ખુરશી માં થી નીચે ઢળી પડ્યો હવે શું કરવું એ  નિર્ણય લેતા વાર લાગી અને અંતે હોસ્પિટલ માં લઇ ગયા ત્યાં સુધી  માં કલાક નો સમય વીતી ગયો, ત્યાં ઇમર્જન્સી ડીપાર્ટમેન્ટ ના ડૉક્ટર એ નિવેદન આપ્યું he is no more આજકાલ હોસ્પિટલ માં મહિના ના લગભગ બે થી ત્રણ દર્દીઓ હૃદય રોગ ની બીમા રી અથવા હૃદયરોગ ના હુમલા સાથે આવે છે જેમની ઉમર પચીસ થી પાંત્રીસ વર્ષ હોય છે, આ પ્રકારના ની સમસ્યા લગભગ પુરુષો માં જ જોવા જોવા મળી છે ,જયારે કડવી અને આપણા ગળે ના ઉતરે તેવી વાસ્તવિકતા એ છે કે આવા દર્દીઓ માં દસ માં થી ચાર દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામે છે. શેલ્બી હોસ્પિટલ નાં વાઇસ પ્રેસિડેન્ટ -નિલેશ સોની સાથે ચર્ચા કરતા ડો. લાલ ડાગા (ઇન્ટરવેશનલ કાર્ડીઓલોજીસ્ટ, શેલ્બી હોસ્પિટલ) જણાવે છે કે આ સમસ્યા ભારતીય ઉપખંડ માં આવેલા દેશો માં સૌથી વ...

#Health Topic Gujarati March/18/ 02/# પીરિયડ્સ માં વધુ પડતો રક્તસ્ત્રાવ

  પીરિયડ્સ માં વધુ પડતો રક્તસ્ત્રાવ:- આાજ કાલ આ સમસ્યા સામાન્ય કરતા વધુ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા જે કિશોરીઑ ને  પીરિયડ્સ ની શરઆત હોય તેમનામા અને જે સ્ત્રીઓને   Menopuse ની શરઆત હોય તેમનામાં વધારે  જોવા મળે છે. પિરિયડ માં વધુ પડતા રક્તસ્ત્રાવની સાથે પેઢાનો દુખાવો, થકાવટ, માનસિક તણાવ,અનિંદ્રા , ભૂખ  ઓછીલાગવી,વાળ ઉતારવા તથા હિમોગ્લોબીન ઓછું થઇ જવાની  ફરિયાદ પણ જોવા મળે છે ,  આ સમસ્યા ને  કારણે, નોકરી કરતી સ્ત્રીઓ ઑફીસ માં ધ્યાન દઈને કામ કરી   શકતી નથી તથા 

#Health topic-Gujarati/ March 18/01/ # સ્તન કેન્સર

:સ્તન કેન્સર: સ્તન કેન્સર શું છે: સ્ત્રીઓ માં જયારે સ્તન માં આવેલા કેટલાક કોષો અનિયંત્રિત રીતે વધવા માંડે છે ત્યારે એ વધેલા કોષો ને કારણે સ્તન માં ગાંઠ બને છે જે ને સ્તન કેન્સર કહેવાય છે મોટેભાગે સ્તન નું કેન્સર સ્ત્રીઓ માં જ જોવા મળે છે પરંતુ કેટલીકવાર સ્તન નું કેન્સર પુરુષો માં પણ થાય છે જોકે તેની શક્યતાઓ પુરુષો માં નહિવત છે કેન્સર ના છ થી સાત પ્રકાર છે જેમાં થી સ્ત્રીઓ માં અન્ય કેન્સર ની સરખામણી માં સ્તન કેન્સર સૌથી વધુ જોવા મળે છે  સ્તન કેન્સર મોટેભાગે ચાલીસ વર્ષ ની ઉપર ની ઉંમર ની સ્ત્રી ઓ માં થાય છે  સ્તન કેન્સર થયા ની જાણ કેવીરીતે થાય છે: કોઈ પણ સ્ત્રી પોતાની જાતે જ સ્તન ઉપર હાથ ફેરવી ને કેન્સર ની ગાંઠ નો અનુભવ કરી શકે છે જેને physical breast examination  કહેવામાં આવે છે ડૉક્ટર ની સલાહ મુજબ દરેક સ્ત્રીઓ એ નિયમિત પણે જાતે જ આ તાપસ કરતા રહેવું જોઈએ અને નાની પણ ગાંઠ જેવું લાગે કે તરતજ ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ સ્તન ના કેન્સર  ની જાણ જો શરૂઆત ના તબક્કે થઇ જાય તો તેની સારવાર લઇ અને  નિયંત્રણ માં લાવી શકાય છે તથા કેન્સર ને બીજા અંગો માં ફે...