#Health Topic Gujarati March/18/04/# આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર)

આઈ સી યુ રહેવા થી થતો આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર)


આઈ સી યુ માં દાખલ કરાયેલ માનસિક સ્વસ્થતા ધરાવતા કેટલાક દર્દી ઓ માં વાણી , વર્તન,તથા વ્યવહાર માં અજુગતો અને દર્દી ના સ્વભાવ વિરુદ્ધ નો ફેરફાર જોવા મળે છે તેને આઈ સી યુ સાયકોસીસ (મનોવિકાર) કહેવામાં આવે છે.આઈ સી યુ ના દર્દી ની આ પરિસ્થિતિ જેટલી સામાન્ય છે તેટલીજ આપણા થી અજાણી છે આજે આપણે એના વિષે માહિતી મેળવીશું

આ વિષે ફોરમ ત્રિવેદી -પાઠક (કન્સલ્ટન્ટ નેયુરોસાયકોલોજિસ્ટ ,શેલ્બી હોસ્પિટલ ) સાથે ચર્ચા કરતા નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ) એ નીચે મુજબ ની માહિતી મેળવી છે જે ખુબજ ઉપયોગી છે

આઈ સી યુ સાયકોસીસ ના લક્ષણો કયા ?
  •  વિવિધ અવાજો સંભાય છે -જે અવાજો સાચેજ હોતા નથી પણ દર્દી ને ભ્રમ થાય છે 
  • વિવિધ દ્રશ્યો દેખાય છે જે સાચેજ હોતા નથી પણ હોવાનો ભાસ થાય છે 
  • સ્થળ અને સમય નું ભાન હોતું નથી 
  • દર્દી માં અજંપો,ઉશ્કેરાટ અને આક્રમકતા જોવા મળે છે અને તેને કારણે દર્દી ,એના શરીર પર લગાવેલી ટોટીઓ ખેંચી નાખે છે,ઓઢાડેલાં બ્લૅન્કેટ કાઢી નાખે છે કે હાથ પગ હલાવ્યા કરે છે 
  • ક્યારેક નિષ્ક્રિય થઇ ને કાંઈજ  બોલ્યા વગર અને હલન ચલન કર્યા  વગર માત્ર આંખો ફેરવ્યા કરે છે 
  • ડૉક્ટર, નર્સ જે સગાઓ  ને સહકાર આપતા નથી  

 જો આ પ્રકાર ના ફેરફાર જોવા મળે તો ગભરાઈ જવું નહિ

 આઈ સી યુ સાયકોસીસ શેના કારણે થાય છે ?

  • દર્દી ને આઈ સી યુ માં એકલો રાખવામાં આવે છે જ્યાં તેના સાગા વ્હલા  ઓ ને મળવાનો અથવા તેમને મળ્યા હોય ત્યારે વાતચીત કરવાનો અવકાશ ખુબજ ઓછો થઇ જાય છે 
  • આઈ વી ફ્લુડસ કે એન્ટિબાયોટિક ના ડોઝ નસો માં આપવામાં આવે છે જેથી નસો માં સોયો ભોંકાયેલી હોય છે તે દુઃખ દાયક છે જે  દર્દી એ સહન કરી શકતો નથી અને તેનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે 
  • દર્દી ને પૂરતી ઊંઘ મળતી નથી અને ઘણા કિસ્સા ઓ માં ખોરાક પણ મોં વાટે  લઇ શકતો નથી 
  • એક સાથે બે કે ત્રણ દવાઓ આપવામાં આવતી હોય છે જે આવી પરિસ્થિતિ ને નોંતરે છે 
  • આઈ સી યુ માં હવા ઉજાસ કે કુદરતી સૂર્ય પ્રકાશ નો અભાવ હોય છે 
  • બીમારી ને કારણે સોડિયમ ,પોટેસીયમ, ડાયાબિટીસ, બીપી ,ધબકારા,વગેરે ની  વધઘટ થયા કરતી હોય છે જે ક્યારેક માનસિક સંતુલન ખોરવીદે છે 
  • જો દર્દી દારૂ, તમાકુ,સિગારેટ વગેરે નું સેવન કરતો હોય તો તે નહિ મળવાથી માનસિક વિકાર જેવી સ્થિતિ સર્જાય છે

આઈ સી યુ સાયકોસીસ થી બચવા શું કરવું જોઈએ ?

  •  દર્દી ને લાંબા સમય સુધી એકલો પાડવા દેવો જોઈએ નહિ 
  • ડૉક્ટર, નર્સ ,અટેન્ડેન્ટ કે સાગા વ્હલા એ દર્દી નું પૂરતું ધ્યાન રાખવું જોઈએ 
  • દર્દી ના  જૈવિક પરિબળો નિયંત્રણ માં રહે તેનું ધ્યાન રાખવું જોઈએ 
  • દર્દી નીસાથે વાત કરી ને તેને સમય,તારીખ,મહિનો,તથા એની સુખદ યાદો વિષે સભાન કરાવવો જોઈએ 
  • દર્દી ની અજુગતી માંગણીઓ તેના વર્તન કે તેના શબ્દો ની અવગણના કરવાને બદલે જેટલો બને તેટલો તેને સહકાર આપી ને તેના દુઃખ માં સહભાગી થવાની કોશિશ કરવી જોઈએ 
  • આઈ સી યુ માં પૂરતી લાઈટ ,હવા ઉજાસ ,ઘડિયાળ, કેલેન્ડર અને શક્ય હોય તો ટીવી ની વ્યવસ્થા કરવી જોઈએ 
  • જો જરૂર જણાય તો દર્દી ને મનોચિકિત્સક કે સાયકોલોજિસ્ટ ની સારવાર કરાવવી જોઈએ 
નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?