#Health article/04/06/2019# ખોરાક થી બીમારીઓ માં નિયંત્રણ આવી શકે? #Khorak thi bimario ma niyantran avi shake?

ખોરાક થી બીમારીઓ માં નિયંત્રણ આવી શકે? 

 આજનું  શીર્ષક વાંચી ને સ્વાભાવિક રીતે આપના  મન માં સવાલો ઉભા થશે , પણ સાચેજ તમારી સાત્વિક ખોરાક લેવાની આદત તમને બીમારી થી દૂર રહેવામાં મદદ કરશે , આજે આપણે રોજિંદા આહાર માં શું ખાવું ,કઈ ચીજો ખાવામાં નિયંત્રણ રાખવું  તેમજ તંદુરસ્ત જીવનશૈલી  વિષે જાણીશું 


રોજિંદા આહાર માં શું ખાવું જોઈએ:

  • લીલા પાંદડા વાળા શાકભાજી ,તથા અન્ય શાકભાજી 1 થી 2 બાઉલ 
  • સલાડ-કાકડી, ટામેટા,ગાજર, બીટ ,કોબીસ દહીં માં નાખીને પણ ખવાય 
  • તાજા ફળો -નારંગી, મોસંબી,સફરજન ,પપૈયુ,કેળા ,કેરી,દ્રાક્ષ,તરબૂચ ,(થોડા ખાવા કારણકે તે ગ્લાયસેમીક ઈન્ડેક્સ વધારે છે )
  • અઠવાડિયા માં બે વખત કઠોળ 1 થી 2 બાઉલ -મેગ, ચણા,વાલ ,અડદ,ફોતરાવાળી મગની દાળ ,રાજમાં 
  • સૂકોમેવો -બદામ,અખરોટ,પિસ્તા કાજુ (વધારે ખાવા નહિ -કોલેસ્ટેરોલ વધારે શે ) ટોપરું 
  • દૂધ ની બનાવટો -પનીર ,દહીં, દૂધ.( રોજ 250 મીલી,લી ) છાસ , માવો 
  • પોપકોર્ન , મમરા,મખાણા ,સીંગ ચણા ,કોર્નફ્લેક્સ,ફ્લેક્સસીડ્સ , વરિયાળી 
  • ઈડલી -સંભાર ટોપરાની ચટણી સાથે (સંભાર  માં બટાકા સિવાય ના બધાજ શાક નાખવા )
  • પૌઆ ,પૌઆનો ચેવડો ,
  • ઉપમા જેમાં ઝીણા સમારેલા કાકડી, ટામેટા ,ગાજર, કોબીસ કાકડી નાખવા 
  • મિક્સ કઠોળ થી બનાવેલું ઉસળ 
  • ફોતરાવાળી મગની દાળ ની ખીચડી (3. ભાગ ફોતરાવાળી મગની દાળ અને 1 ભાગ ચોખા ) 
  • ફણગાવેલા મગ ,બાફેલા ચણા ,મિક્સ કઠોળ ,બાફેલા શાકભાજી (સ્વાદ અનુસાર મસાલો અને લીબું નાખી શકાય ) 
  • લીંબુ નું શરબત , નારિયેળ નું પાણી અને રોજ નું 2 થી 3 લીટર પાણી 
  • ઢોકળા , ઈડલી , ખમણ,અને બાજરી ,જુવાર, રાગી ની વાનગીઓ 
શું ખાવામાં નિયંત્રણ રાખવું : 

  • કેક , બિસ્કિટ,બ્રેડ ,આઈસ્ક્રીમ , ઠંડા પીણાં ,ફ્રુટ જ્યુસ ,મેંદાવાળી ચીજો ,ખાખરા , પેસ્ટ્રી અને ટોસ્ટ 
  • તળેલા ફરસાણ ,ડિપફ્રાય કરેલી બધીજ વાનગીઓ 
  • પીઝા, બર્ગર,દાબેલી,વડાપાઉં ,ભેળ ,પાણીપુરી ,પાસ્તા 
  • ભાત ,બટાકા ,ચીઝ ,બટર ,નાન, પરોઠા ,પાપડ, અથાણાં 
  • પેકેટ માં મળતા ફરસાણ ,(જેમાં સોડિયમ નું પ્રમાણ વધારે હોય છે ) 
  • વધુ પડતી  ખાંડ વાળી ચા ,કોફી તૈયાર મળતા શરબતો , મિલ્કશેક ,બરફ ના ગોળા  
  • દરેક પ્રકારની મીઠાઈઓ ,ગુલાબજાંબુ ,રસગુલ્લા , જલેબી ,કેરી નો રસ (બહારનો ) બહારની માવા ની મીઠાઈઓ 
  • ફાફડા, ગાંઠિયા , ભજીયા ,ફ્રોઝન ફૂડ ,ટીન ફૂડ,પ્રોસેસ ફૂડ 
તંદુરસ્ત જીવન જીવવાની ચાવી:
  • રોજ 30 મિનિટ ગમતી કસરત કરવી દા.ત. ચાલવું,સાયકલ ચલાવવી,સ્વિમિંગ કરવું,દોડવું ,યોગા કરવા 
  • પરિવાર ને ઓછા માં ઓછો રોજ નો બે થી ત્રણ કલાક સમય આપવો 
  • દિવસ નું એક ભોજન પરિવાર સાથે મળી ને લેવું 
  •  આપણી સમસ્યા ની ચર્ચા પરિવાર સાથે કરવી અને મન હળવું કરી લેવું 
  •  સમયાંતરે ઉપવાસ કે ફળ નો આહાર  લઇ ને શરીર ને ડીટોક્સ કરવું (ખુબ જરૂરી છે) 
  • રોજ નું 3 થી 4 લીટર પાણી પીવું 
  • ભોજન ના સમય માં ઓછામાં ઓછો 3 કલાક નું અંતર રાખવું બને તો પાંચ વખત થોડું થોડું ખાવું 
  • ટીવી જોતા જોતા ખાવું નહિ અને બાળકો ને એવી ટેવ પાડવી નહિ 
  • 30 વર્ષ ની ઉમર પછી વર્ષ માં એક વાર પ્રીવેન્ટિવ હેલ્થ ચેક અપ જરૂર થી કરાવવું 
  • ડાયાબિટીસ ,બીપી ,થીરોઇડ,કોલેસ્ટેરોલ , તેમજ અન્ય રોગો ની દવા ડૉક્ટર ની સલાહ મુજબ નિયમિત લેવી 
  • 7 થી 8 કલાક ની ઊંઘ લેવી જોઈએ 
  • રોજિંદા ખોરાક માં અનકુંક -રાંધ્યા વગરનો ખોરાક જેવોકે સલાડ, ફ્રૂટ્સ અવશ્ય લેવા 
  • ચા, કોફી , ઠંડા પીણાં, સિગરેટ, તમાકુ,દારૂ નું વ્યસન છોડવું 
  • જમ્યા પહેલા થોડું પાણી પીવું 
  • વિટામિન ડી માટે રોજ સવારના કૂણાં  તડકા માં 10 થી 15 મિનિટ રહેવું 
  • વજન ઉતરવા માટે  ડાયટિશિયન ની સલાહ મુજબ જ ખાવું જોઈએ 

-નિલેશ સોની



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સ્લીપ એપનિયા (Sleep Apnea) વિશે માહિતી

મીઠું (ગળ્યું) ખાવાનું મન કેમ થાય છે? Reasons of Sugar craving

ડાયાબિટીસ માં નિયમિત વ્યાયામ કેમ કરવો જોઈએ ?