દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ
દવા ઓ ને ખોરાક બનાવવા કરતા ચાલો ખોરાક ને જ દવા બનાવીએ
શું ખાવું જોઈએ ?
- લીલા પાંદડા વાળા શાકભાજી , અન્ય શાકભાજી 1 થી 2 બાઉલ
- સલાડ -કાકડી,ટામેટા,ગાજર, બીટ,કોબીસ (દહીં માં નાખી ને પણ ખવાય )
- તાજા ફળો-ખાસ કરીને નારંગી,મોસંબી,સફરજન,પપૈયું, રાસ્પબેરી ,જમરૂખ,પાઈનેપલ ,કિવિ , વધુ ખાવા,રોજ નું એક ફ્રૂટ લેવું જરૂરી છે
- કેળા,કેરી,દ્રાક્ષ ,તરબૂચ, સપ્રમાણ ખાવા,ડાયાબિટીસ ના દર્દીઓ એ નિયંત્રણ માં ખાવા.
- અઠવાડિયા માં બે વખત કે તેથી વધુ કઠોળ 1 થી 2 બાઉલ ખાવા -મગ,ચણા ,મઠ,વાલ,રાજમા,દેશી ચણા,વગેરે
- ફોતરાંવાળા અનાજ (છડેલા) -મગનીદાળ ,દલિયા નિયમિત ખાવા.
- સૂકોમેવો-બદામ,અખરોટ,પિસ્તા, કાજુ (કાજુ નિયંત્રણ માં લેવા) ટોપરું વગેરે નિયમિત લેવા.
- દૂધ અને દૂધ ની બનાવટો -દહીં,છાસ,પનીર,માવો વગેરે નિયમિત લેવા દૂધ રોજ નું 250 થી 500 મિલી લેવું જોઈએ
- પોપકોર્ન ,વઘારેલા મમરા ,મખાણા ,સોયાસ્ટીક્સ (થોડી) ,રાગી ની કોર્નફ્લેક્સ લઇ શકાય.
- ફણગાવેલા મગ,ચણા ,રાજમાં,મઠ,વાલ નિયમિત લઇ શકાય જેમાં સ્વાદ અનુસાર મસાલો તથા લીબું મરી નાખી શકાય
- બાફેલા શાકભાજી ,સલાડ મસાલો તથા લીંબુ મારી નાખી ને લઇ શકાય
- વઘારેલા પૌઆ (બટાકા વગર ) ઈડલી સંભાર (સંભાર માંબટાકા સિવાય ના શાક નાખવા ) ઉપમા (ઝીણા સમારેલા ગાજર, કાકડી, ટામેટા,કોબીઝ નાખી ને લેવા
- મિકસ કઠોળ ને ઉસળ બનાવી ને લઇ શકાય
- ઢોકળા, ઈડલી ,ખમણ,બાજરી જુવાર, મકાઈ ની વાનગીઓ
- ફોતરાં વાળી મગની દાળ ની ખીચડી , બાજરી, મકાઈ,જુવાર ,રાગી ના લોટ ની રાબ, ઘી -ગોળ, મધ લઇ શકાય
- લીબું નું શરબત,નારિયેળ નું પાણી , ધાણા +દ્રાક્ષ +વરિયાળી નું શરબત લઇ શકાય
- રોજ નું 3 થી 4 લિટર પાણી અવશ્ય પીવું
શું નિયંત્રણ માં ખાવું જોઈએ ?
- કેક, બિસ્કિટ ,ટોસ્ટ, ખાખરા,બ્રેડ ,પેસ્ટ્રી ક્યારેક જ લેવા
- આઈસ્ક્રીમ ,ફ્રુટ જ્યુસ,ઠંડા પીણાં ,મિલ્ક શેક ,શરબત , બરફ ના ગોળા
- પીઝા , બર્ગર ,દાબેલી , વડાપાઉં ,પાસ્તા ,ભેળ , પાણી પુરી , ફાફડા , ચવાણું , ચેવડો, ભજીયા
- ભાત , બટાકા,ચોખા ના પાપડ , અડદ ના પાપડ,અથાણાં, મેંદા ની વાનગીઓ
- ચીઝ ,બટર ,મર્ગેરીન
- બજારુ માવા ની મીઠાઈઓ,ગુલાબજાંબુ , રસગુલ્લા ,જલેબી , બજારુ કેરી નો રસ
- પેકેટ માં મળતા ફરસાણ જેવાકે વેફર ,સેવ,શીંગ ભજીયા ,ગાંઠિયા
- ડીપ ફ્રાય કરેલી દરેક વાનગીઓ
નિલેશ સોની
વેલનેસ કન્સલ્ટન્ટ
મોબાઇલ: 9724483559
ઇમેઇલ:nilesh.dinuwe@gmail.com
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો